Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

  તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

                                        

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે  ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

તારીખ : ૧૯-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાનાં શિક્ષકો માટે જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ  ૬ થી ૮નાં ૬૮ શિક્ષક ભાઈ-બહેનોની ફ્રેઝ -૪ જ્ઞાનકુંજ તાલીમમાં જોડાયા હતા.

ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં જ્ઞાનકુંજનું અમલીકરણ. થયેલ છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ (GCSE) શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર વતી હાર્ડવેર ઓપરેટિંગ સોફ્ટવેર અને સિસ્ટમ્સની જાળવણી સહિતની તાલીમ શિક્ષકોને આપવામાં આવી રહી છે.

જે અંતર્ગત માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેરગામ તાલુકાના શિક્ષકોને સ્માર્ટ બોર્ડની ઓપરેટિંગ સિસ્ટમ અને toolsની સમજ અને તેના વિવિધ મેનુઓની સમજ આપવામાં આવી હતી. વર્ગખંડમાં તેનો ઉપયોગ કરી શિક્ષણની ગુણવત્તામાં કેવી રીતે સુધારો કરવો, તે બાબતે નીચે આપેલ મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી.

જ્ઞાનકુંજ પરિચય

જ્ઞાનકુંજ એ ટેક્નોલોજી ટૂલ્સની મદદથી વર્ગખંડની ક્રિયાપ્રતિક્રિયા અને શિક્ષણ-અધ્યયન પ્રક્રિયાને વધારવા માટેનો શાળા ડિજિટાઇઝેશન પ્રોગ્રામ છે. તેનો હેતુ સૉફટવેર અને હાર્ડવેરને સમાવિષ્ટ ઇન્ટરેક્ટિવ સિસ્ટમની મદદથી સ્કૂલ ડિજિટાઇઝેશન દ્વારા શિક્ષણ-અધ્યયન અને મૂલ્યાંકનને મજબૂત બનાવવાનો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં અમલમાં મુકવામાં આવશે.

ઉદ્દેશ્ય

શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અધ્યયન પ્રક્રિયામાં પ્રગતિ દ્વારા વર્ગખંડની ક્રિયા પ્રતિક્રિયાને.

વપારવા માટે ટેક્નોલોજીના ઉપયોગથી શિક્ષણ, અધ્યયન અને મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવી.

માધ્યમ તરીકે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વર્ગખંડમાં જ અભ્યાસક્રમના દરેક એકમને સમજવામાં સરળતા માટે.

આ મોડેલ હેઠળ વર્ગખંડમાં જરૂરી સુવિધાઓ:

મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પેકેજ શાળાની સ્થાનિક પરિસ્થિતિઓ અને વપરાશ સ્તર અને ઓપરેશનલ સંદર્ભને ધ્યાનમાં લઈને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ મોડેલ હેઠળ, શાળાના વર્ગોમાં નીચે મુજબની સુવિધાઓ હશે.

ઇન્ટરેક્ટિવ પેનલ

લેપટોપ

ઇન્ટરેક્ટિવ પેનલ માટે જરૂરી વીજળીકરણ

ઉપરોક્ત સુવિધાઓના સંકલિત ઉપયોગ દ્વારા સરકારી શાળાખોમાં શિક્ષકો નીચેના કાર્યો કરી શકશે.

સૂચિત ઉકેલને એકીકૃત કરીને શિક્ષણ કાર્યને અરસપરસ બનાવવામાં આવે છે.

શિક્ષકો અભ્યાસક્રમની ઉન્નત ડિલિવરી માટે તમામ શિક્ષણશાસ્ત્રની યુક્તિઓ (કરો. વ્યાખ્યા ડેમો મૂલ્યાંકન) નો અમલ કરી શકશે.

ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ બેજ્યુકેશન (GCSE) દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઈ-સામગ્રીનો ઉપયોગ અને ઈ-ક્લાસ પ્રોજેકટ હેઠળ વિડિયો કન્ટેન્ટ ટેલિકાસ્ટ; શિક્ષકો-વિધાર્થીઓના આરામદાયક સ્તરે.

તમામ શૈક્ષણિક સામગ્રીઓ, ફ્રીવેર ઓપન સોર્સ સંસાધનો ઓનલાઈન સંસાધનો, શિક્ષકો દ્વારા બનાવેલ / તૈયાર કરેલ ઈ-કન્ટેન્ટ વગેરેના ઉપયોગનું અન્વેષણ કરવું.

ઈ-સામગ્રી, ઑડિઓ વિઝ્યુઅલ્સ, ડિજિટલ પાઠ્યપુસ્તકો દ્વારા શૈક્ષણિક વિતરણ જે ઑફલાઇન (સ્થાનિક હોસ્ટ), ઑનલાઇન (ક્લાઉડ આધારિત) તેમજ સ્થાનિક લેપટોપ પર ઍક્સેસ કરી શકાય.

ઉકેલ વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી ચાલતા જ્ઞાન સાથે અભ્યાસક્રમને શીખવા અને સમજવા માટે આકર્ષિત કરશે. આ સોલ્યુશન શિક્ષકોને પેનલ પર વિડિયો પ્રવચનો રેકોર્ડ કરીને બાળકોની જરૂરિયાત મુજબ.

ઓનલાઈન સંસાધનો તૈયાર કરીને સીમલેસ સોલ્યુશનનો ઉપયોગ કરવા માટે પણ આકર્ષિત કરશે. દરેક વ્યક્તિના શિક્ષણ સ્તરને હાંસલ કરવા માટે બાળકોની જરૂરિયાતને સંબોધવા માટે શૈક્ષણિક વિતરણ માટે નવીનતાઓ કરવા શિક્ષકોને પ્રેરણા આપવી. જેવી બાબતોનો સમાવેશ થાય છે.


આ શૈક્ષણિક તાલીમની  જિલ્લા એમ.આઇ.એસ. કો-ઓર્ડીનેટર તુષારભાઈ પટેલ સાહેબ દ્વારા તાલીમ વર્ગની મુલાકાત લેવામાં આવી હતી. 

ખેરગામ બી.આર.સી. વિજયભાઈ, કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ સહિત ૬૮ જ્ઞાનકુંજ તાલીમાર્થીઓ જોડાયા હતા. 

Comments

Popular posts from this blog

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

                                   આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ.

  નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ. માહિતી બ્યુરો, નવસારી તા.૧૧: તાજેતરમાં નવસારી કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમિક્ષા બેઠક જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી.   આ બેઠકમાં આરોગ્ય શાખાની "સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ સંકલન સમિતિની સમીક્ષા બેઠક" યોજવામાં આવી જેમાં તમામ શાખાઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવી હતી. જેમાં વરસાદની પરિસ્થિતિમાં જાહેર જનતાને માટે જરૂરી માર્ગદર્શન, રોગચાળા અટકાયતી કામગીરી તથા જિલ્લામાં આવતા વિવિધ કેસોની દૈનિક ધોરણે એન્ટ્રી, સંચારી રોગ, NTCP, સિકલસેલ, ક્લાઇમેન્ટ ચેન્જ, નેશનલ લેપ્રેસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ વગેરે પ્રોગ્રામ વિશે ચર્ચા અને સમિક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણીજન્ય રોગો, વાહકજન્ય રોગો, અને ચોમાસાની ઋતુમાં રોગચાળા અટકાયત માટે જરૂરી પગલાં લેવા તેમજ સિકલસેલ એનીમીયા નિયંત્રણ કાર્યક્રમ અંગે વિગતવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું....

ચીખલીના રૂમલા ખાતે વડાપ્રધાનશ્રીનો પીએમ જનમનનાં લાભાર્થી સાથે સીધો લાઈવ લોકસંવાદ કાર્યક્રમ યોજાયો.

                      ચીખલીના રૂમલા ખાતે વડાપ્રધાનશ્રીનો પીએમ જનમનનાં લાભાર્થી સાથે સીધો લાઈવ લોકસંવાદ કાર્યક્રમ યોજાયો. નવસારી જિલ્લાના રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીનો લાભાર્થી સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ યોજાયો. રૂમલા ખાતે  પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો લાઈવ સંવાદ કાર્યક્રમ ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી અનુપ્રિયા પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો. પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભવો સહિત ઉપસ્થિત ગ્રામજનોએ નિહાળ્યું. આદિમજૂથના  પરિવારો સુધી સરકારની પ્રજાલક્ષી યોજનાઓ પહોંચાડવા પીએમ જન મન અભિયાન કટિબધ્ધ  : કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી અનુપ્રિયા પટેલ (નવસારી : સોમવાર ) નવસારી  જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી...