Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

  તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...

Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

          Khergam :  ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

વાડ ખાતે યોજાયેલ ૭૫માં પ્રજાસત્તાક પર્વના દિને વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પંચાયત તરફથી તેમની વિશિષ્ટ કામગીરી બદલ તેમનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબના હસ્તે જ્યારે ખેરગામ કેન્દ્ર 'પ્રતિભાશાળી શિક્ષક'નું સન્માન વાડ ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલના હસ્તે  કરવામાં આવ્યું હતું. આમ તેમનું બેવડું સન્માન કરવામાં આવ્યું હતું.

તેમનાં વિશિષ્ટ કાર્યોમાં  જિલ્લા કક્ષાએ ઇનોવેશનમા ભાગીદરી,વહિવટી ઓનલાઇન દરેક કામગીરીમાં ભાગીદારી, શાળા બાળકોને જરૂરિયાત મુજબ આર્થિક મદદ કરવી, શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીસંમેલન,ધોરણ -૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને સને -૨૦૨૨ ના વર્ષમાં લેમિનેટ 30 દેશી હિસાબ વિતરણ, શાળામાં વોલ પર લગાવેલ ફોર્મશીટના ફોટા માટે ૫૦૦૦/- નું દાન, શાળામાં સરસ્વતી માતાની ફોટો દાન, વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિના લેમિનેશન ના ફોટા માટે ૨૨૦૦/- રૂનું દાન, શાળાનો લોગો બનાવવો, શાળામાં બાગ માટે માટીપુરાણ,શાળા મેદાનમાં વિવિધ વૃક્ષોનું વાવેતર અને જતન જેવા વિશિષ્ટ કાર્યોનો સમાવેશ થાય છે.

તેમણે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન કરેલી કામગીરીમાં કોરોના સમયમાં પ્રા.શાળા વાડ ગામમાં અનાજ વિતરણ, ઇકો કલબના માધ્યમથી કિચન ગાર્ડન તથા શાળા સ્વચ્છતા પર વિશેષ ધ્યાન, શાળા રામહાટ કુછ ખોયા પાયા જંક કોર્નર પક્ષીઘર, અક્ષય પાત્ર જેવી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે વિશેષ યોગદાન, ચિત્ર સ્પર્ધાની તૈયારી,શાળામાં વિવિધ રમતોનું આયોજન, શાળા કક્ષાએ થતા વિવિધ કાર્યક્રમોમાં ઉદઘોષકની કામગીરી, એક ભારત શ્રેષ્ઠ ભારત ની ઉજવણી, NMMS પરિક્ષાની તૈયારી, વર્ષ-૨૦૨૨-૨૩ મો તાલુકા કક્ષા સુધી વિજ્ઞાન મેળામાં ભાગીદારી, ટવીનીંગ કાર્યક્રમની ભાગીદારી (વાડ મુખ્ય પ્રા. શાળ- કન્યા શાળા), શાળા સ્વચ્છતા, આરોગ્યમાં ભાગીદારી, પુસ્તકાલયની જાળવણી, કેન્દ્ર કક્ષાએ પ્રયોગશાળાની મુલાકાત પ્રવાસ આયોજનમાં ભાગીદારી, પ્રોજેક્ટ બનાવવા, શાળાની online વહિવટી કામગીરીમાં મદદ કરવી જેવી કામગીરી મહેનત ખંતથી કરી હતી.


મહત્વની મુખ્ય બાબત તાલુકા કક્ષાની વહીવટી કામગીરીમાં તેમનું સવિશેષ યોગદાન રહ્યું છે. તેમજ તાલુકા કક્ષાની કોઈ પણ સ્પર્ધાઓ કે વિજ્ઞાન મેળા જેવા કાર્યક્રમનાં આયોજનમાં તેમની વિશિષ્ટ ભૂમિકા હોય છે. તાલુકાનાં ઉચ્ચત્તર પગારની કામગીરી પરિવારના ભોગે પણ ઘરે કરતા હોવાનું તાલુકાનાં શિક્ષકવર્તુળ પાસેથી જાણવા મળેલ છે. તેઓ ટેકનોલોજીના એક્સપર્ટ હોવા છતાં તેઓ એ બાબતે કદી બડાઈ મારતા નથી.  તેઓ મિતભાષી, કોઈ પણ કામગીરી  ગંભીરતા  અને જવાબદારીપૂર્વક પૂર્ણ કરવું, સમય પાલનના આગ્રહી, જેવી બાબતે તેમના વ્યક્તિત્વમાં પરિપક્વતાનાં દર્શન થાય છે. એવા ઘણા બધા તેમના જમા પાસા છે. ખેરગામ સિવાયના વલસાડ જિલ્લાના અન્ય તાલુકાનાં શિક્ષકો માટે પણ  વહીવટી કામગીરી બાબતે હરહંમેશ માટે મદદરૂપ થતાં રહે છે. જે બાબતની માહિતી જેતે તાલુકાનાં શિક્ષકોના મુખે જાણવા મળેલ છે. જેવી બાબતો માટે સન્માનની પાત્રતા ધરાવે છે.  હકીકતમાં, ધર્મેશ પટેલ બેવડું સન્માનની પાત્રતા  ધરાવે છે.

આ પ્રસંગે ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ કુમાર શાળાનાં આચાર્યશ્રી તથા ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ અને મહામંત્રી તથા વાડ શાળાનાં આચાર્યશ્રી કિરીટભાઈ પટેલ, ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલ, વાડ ગામના આગેવાન ચેતનભાઈ પટેલ અને દિનેશભાઈ પટેલ દ્વારા તેમને મળેલ બેવડું સન્માન માટે  હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

Comments

Popular posts from this blog

ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

           ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ૧૩ મી જાન્યુઆરીનાં દિને ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે માઉલી માતા મંદિર પટાંગણમાં વનવિભાગ ગુજરાત સરકાર દ્વારા નવનિર્મિત પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ માનનીય રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને ગણદેવી માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ  દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ શ્રોતાજનોને પર્યાવરણના જતન થકી સમાજની સેવા કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નવસારી જિ.પં. પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઇ, નવસારી જિલ્લા સદસ્ય ભીખુભાઈ આહિર, ખેરગામ તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો, અધિકારીગણ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Valsad: સરકારી શાળામાં ભણતા ગરીબ પરિવારના બે સાધારણ બાળકની અસાધારણ સિધ્ધિ.

                        Valsad: સરકારી શાળામાં ભણતા ગરીબ પરિવારના બે સાધારણ બાળકની અસાધારણ સિધ્ધિ.  વલસાડ જિલ્લાના બે વિદ્યાર્થીના પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા, બંને વિદ્યાર્થી જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પારડીના ખેરલાવની શાળાના વિદ્યાર્થીના ‘‘લાઈફ સેવિંગ વિન્ડો’’ અને ઉમરગામના ફણસાના વિદ્યાર્થીના ‘‘બીચ ક્લિનર’’ પ્રોજેક્ટની દિલ્હીથી પસંદગી થઈ.    હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે લાઈફ સેવિંગ વિન્ડો અને સમુદ્ર કાંઠાના પર્યટન સ્થળોની સફાઈ માટે બીચ ક્લિનર ઉપયોગી થઈ શકે   સમગ્ર ગુજરાતમાંથી માત્ર ૩ વિદ્યાર્થીની પસંદગી, વલસાડના બે અને મહેસાણાના એક વિદ્યાર્થીનો સમાવેશ. ‘‘એક નાનો વિચાર ઘણા મોટા આવિષ્કાર સર્જી શકે છે’’. આ વિધાનને વલસાડ જિલ્લાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બે બાળકોએ યથાર્થ ઠેરવ્યુ છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામના આદિવાસી પરિવારના દીકરા જિયાંશ અને ઉમરગામ તાલુકાના ફણસા ગામના માછી સમાજના દીકરા જૈનિલની કેન્દ્ર સરકારના ‘‘ઈન્સ્પાયર એવોર્ડ’’ અંતર્ગત આંતરર...