Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

  તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...

વલસાડમાં ૪ સ્થળે સામૂહિક સૂર્ય નમસ્કાર થયા, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને તિથલ બીચનો કાર્યક્રમ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો.

               


વલસાડમાં ૪ સ્થળે સામૂહિક સૂર્ય નમસ્કાર થયા, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને તિથલ બીચનો કાર્યક્રમ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો.

પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને તિથલ બીચ ખાતે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમો યોજાયા 

 વાપીમાં સાંસદ ડો. કે.સી.પટેલ અને નારગોલમાં ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયા. 

નવા વર્ષની સવારનું સૂર્ય નમસ્કાર સાથે ઉષ્માભેર વલસાડવાસીઓએ સ્વાગત કર્યુ.


       ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત વલસાડ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વર્ષ ૨૦૨૪ના નવા વર્ષે તા. ૧ જાન્યુ.ના રોજ સામૂહિક “સૂર્ય નમસ્કાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. 


વલસાડના મોગરાવાડી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૬૫૦ લોકોએ ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તિથલ બીચ ખાતે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૦૯ લોકોએ સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ બંને સ્થળે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી માટેના યોજાયેલા કાર્યક્રમોમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધણીની પ્રક્રિયામાં પ્રતિનિધિઓ નિર્મલ બારોટ અને શ્રેયા પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા. 


      આ સિવાય વાપીની આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે સાંસદશ્રી ડો.કે.સી.પટેલના અધ્યક્ષસ્થાને ૧૦૩ લોકોએ અને ઉમરગામ તાલુકાના નારગોલ બીચ ખાતે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને ૨૬૦ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જિલ્લામાં ૧૧૨૨ લોકોએ ભાગ લઈ નવા વર્ષની સવારનું સૂર્ય નમસ્કાર સાથે ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. 


રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા. ૦૧/૦૧/૨૦૨૪ ના રોજ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા ખાતે વિજેતા સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે નવા વર્ષના પ્રથમ દિવસે સૂર્યના પ્રથમ કિરણ સાથે ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના કરતાં અંદાજે ૨૫૦૦ લોકોની ઉપસ્થિતિમાં ૧૧ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના દરેક જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકાઓ સહિત અન્ય પ્રતિષ્ઠિત જગ્યાઓ મળી કુલ ૧૦૮ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.





બોક્ષ મેટર 

સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં વલસાડ જિલ્લો રાજ્યમાં વલસાડ જિલ્લો બીજા ક્રમે 

કુલ નોંધણી

 ૬૯૭૦૪

વ્યકિતગત નોંધણી

 ૧૪૧૮૬

સંસ્થાકીય નોંધણી

 ૫૫૫૧૮

૦૯-૧૮ વર્ષ ગૃપ

 ૬૨૧૩૦

૧૮-૪૦ વર્ષ ગૃપ

 ૪૮૬૦

૪૧ વર્ષથી વધુ

 ૨૬૨૫

સ્રોત : માહિતી બ્યુરો: વલસાડ તા.૦૧ જાન્યુઆરી 

Comments

Popular posts from this blog

ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે ખેરગામ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ 2024-2025 ઉજવાયો.

ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે ખેરગામ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ 2024-2025 ઉજવાયો. કમિશનર  યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી તથા જનતા માધ્યમિક શાળા ખેરગામના સહયોગથી ખેરગામ તાલુકા કક્ષાનું યુવા મહોત્સવ 2024 -25 નું આયોજન તારીખ 29/ 8/2024 ને ગુરૂવારના રોજ જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે ખેરગામ તાલુકાના મામલતદાર શ્રી દલપતભાઈ ઉપસ્થિત રહ્યા હતા,  શાળાનું સંચાલક મંડળ પ્રમુખશ્રી અરવિંદભાઈ, ચેરમેનશ્રી પ્રશાંતભાઈ,કોષાધ્યક્ષ જગદીશભાઈ  કારોબારી સભ્ય હર્ષદભાઈ  ઉપસ્થિત રહ્યા હતા  સમગ્ર સ્પર્ધામાં ખેરગામ તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સમૂહ ગીત, લોકગીત,ચિત્રકલા જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો  તેમજ તમામ સ્પર્ધાઓમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા કક્ષાએથી ઉમેશ મહેતા, નિલેશ પટેલ અને લલિત પટેલ  નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તમામ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થીએ પ્ર...

ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

           ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ૧૩ મી જાન્યુઆરીનાં દિને ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે માઉલી માતા મંદિર પટાંગણમાં વનવિભાગ ગુજરાત સરકાર દ્વારા નવનિર્મિત પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ માનનીય રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને ગણદેવી માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ  દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ શ્રોતાજનોને પર્યાવરણના જતન થકી સમાજની સેવા કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નવસારી જિ.પં. પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઇ, નવસારી જિલ્લા સદસ્ય ભીખુભાઈ આહિર, ખેરગામ તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો, અધિકારીગણ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

          Khergam :  ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન. વાડ ખાતે યોજાયેલ ૭૫માં પ્રજાસત્તાક પર્વના દિને વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પંચાયત તરફથી તેમની વિશિષ્ટ કામગીરી બદલ તેમનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબના હસ્તે જ્યારે ખેરગામ કેન્દ્ર 'પ્રતિભાશાળી શિક્ષક'નું સન્માન વાડ ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલના હસ્તે  કરવામાં આવ્યું હતું. આમ તેમનું બેવડું સન્માન કરવામાં આવ્યું હતું. તેમનાં વિશિષ્ટ કાર્યોમાં  જિલ્લા કક્ષાએ ઇનોવેશનમા ભાગીદરી,વહિવટી ઓનલાઇન દરેક કામગીરીમાં ભાગીદારી, શાળા બાળકોને જરૂરિયાત મુજબ આર્થિક મદદ કરવી, શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીસંમેલન,ધોરણ -૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને સને -૨૦૨૨ ના વર્ષમાં લેમિનેટ 30 દેશી હિસાબ વિતરણ, શાળામાં વોલ પર લગાવેલ ફોર્મશીટના ફોટા માટે ૫૦૦૦/- નું દાન, શાળામાં સરસ્વતી માતાની ફોટો દાન, વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિના લેમિનેશન ના ફોટા માટે ૨૨૦૦/- રૂનું દાન, શાળાનો લોગો બનાવવો, શાળામાં બાગ...